ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ઓનલાઈન પણ ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. તત્કાલ ટિકિટનો મતલબ એવો થાય છે કે તમે શોર્ટ નોટિસમાં પણ યાત્રા કરી શકો છો. જોકે, આ માટે તમારે વધારે રુપિયા ચૂકવવા પડે છે. આ ટિકિટ વહેલા તે પહેલાના ધોરણે મળે છે.
આ સમયે ખુલે છે વિન્ડો
તત્કાલ ટિકિટ હેઠળ ફર્સ્ટ એસી ઉપરાંત દરેક શ્રેણીઓ માટેની ટિકિટ બુક કરાવી શકાય છે. એસી શ્રેણી માટે તત્કાલ વિન્ડો સવારે દસ કલાકે અને નોન એસી ક્લાસ માટે સવારે અગિયાર કલાકે ખુલે છે. તમે એક દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવી શકો છો. સેકન્ડ ક્લાસ માટે બેઝિક ભાડાના દસ ટકા અને બાકીની અન્ય શ્રેણીઓ માટે 30 ટકા છે. જોકે, અમે કેટલીક એવી ટીપ્સ આપી રહ્યાં છીએ. જેનાથી તમને તત્કાલ ટિકિટ બુક કરવામાં મદદ મળી શકશે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
આઈઆરસીટીસીની વેબસાઈટ અને એપ પર તમે લોગ ઈન માટે એકથી વધારે ક્રેડિન્શલ બનાવો. વિન્ડો ખૂલતાં પહેલા જ તમે પેસેન્જકની ડિટેઈલ ભરીને રાખો. એસી ક્લાસના મુસાફરોને સેકન્ડ એસી માટે પહેલા પ્રયત્ન કરવો જોઈએ કારણકે થર્ડ એસીની સીટ ફુલ થયા પછી લોકો આ જ ક્લાસમાં બુકિંગ માટે પ્રયત્ન કરે છે.
આ ટિપ્સ ને યાદ રાખો
ઓનલાઈન પેમેન્ટ નેટ બેન્કિંગ દ્વારા જ કરવું જોઈએ. કારણકે ટિકિટ બુકિંગનો આ જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તત્કાલ ટિકિટ બુકિંગ માટે મુસાફરોએ વધારે ભાડુ ચૂકવવુ પડે છે. આ સુવિધા શતાબ્દી એક્સપ્રેસના એક્ઝિક્યૂટિવ ક્લાસ માટે પણ ઉપલબ્ધ છે. આ રીતની પાંચ સીટ ઉપલબ્ધ હોય છે.
એક પીએનઆર પર ચાર યાત્રી
તત્કાલ ટિકિટની મદદથી એક પીએનઆર પર ચાર લોકોની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાય છે. આઈઆરસીટીસી વેબ સર્વિસ એજન્ટ્સને પ્રતિ દિવસે ટ્રેન પર માત્ર એક જ ટિકિટ બુક કરવાની અનુમતિ હોય છે.
ઓળખાણ પત્ર છે જરૂરી
તત્કાલ સ્કિમ હેઠળ બુક કરવામાં આવેલી ટિકિટોમાં નામ પરિવર્તનની અનુમતિ નથી હોતી. ડુપ્લિકેટ તત્કાલ ટિકિટને માત્ર વિશેષ પરિસ્થિતિઓમાં જ આપવામાં આવે છે. જોકે, તેમાં યાત્રાનું ભાડું તત્કાલ ચાર્જ સહિત ગણવામાં આવે છે. તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન આઈડેન્ટિટિ પ્રુફની જરુર હોતી નથી પરંતુ મુસાફરી સમયે યાત્રીને ઓળખપત્ર રાખવું જરુરી છે.
ભારતીય રેલવેના વખાણ કરીએ એટલા ઓછા છે. એટલી અદભુત વાત સામે આવી છે કે એની જયજયકાર કર્યા સિવાય કશું કહી ના શકાય. કેટલાક દિવસ અગાઉ જાપાન રેલવેની વાત સાંભળી હતી કે ટ્રેન એક મિનીટ મોડી થઇ અને તમામ રેલવે અધિકારીઓએ સામુહિક માફીનામું લખી આપ્યું હતું. એટલે કે સમયનું એટલું મહત્વ કે આપણે ભારતીયો તેના પર શરમાઈ જઈએ.
પરંતુ અહિયાં ભારતમાં એક માલગાડી ૨૦૧૪ માં પોતાના મુકામ તરફ નીકળી અને ૨૦૧૮ માં પહોંચી. ૩.૫ વર્ષ લાગી ગયા તેને કોઈની ડિલીવરી પહોંચાડવામાં. હવે રેલવે તેના પર માફીનામું આપે પણ કેવી રીતે. હકીકતમાં થયું કંઈક એવું છે કે, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ઉત્તરપ્રદેશ તરફ જનારી માલગાડીમાં પોટાશ લિમિટેડ નામની કંપનીએ યુપીના બસ્તી જિલ્લા માટે કોઈ ઓર્ડર પર ખાતર મોકલ્યું.
૧૪૦૦ કિલોમીટરનું અંતર નક્કી કરીને તેને બસ્તી સુધી પહોંચવાનું હતું. તે ખાતરની કિંમત ૧૦ લાખ રૂપિયા હતી. તો નવેમ્બર ૨૦૧૪ માં જયારે આ ડીલીવરી બસ્તી સુધી ના પહોંચી તો તેના માલિકે ઇન્ડીયન રેલવેનો સંપર્ક કર્યો.
પરંતુ રેલવે આ પાર્સલને ટ્રેક ના કરી શક્યું. ખાતરવાળા આ ડબ્બા સ્ટેશનથી સ્ટેશન ભટકતા રહ્યા. હવે ૩.૫ વર્ષ પછી આ ટ્રેન ખાતર સાથે બસ્તીના સ્ટેશન પર પહોંચી ગઈ છે જેમાં ભરેલું ખાતર ખરાબ પણ થઇ ચુક્યું છે અને તેના માલિક રામચંદ્ર ગુપ્તાએ તે લેવાની પણ ના પાડી દીધી છે.
તેમનું કહેવું છે કે ૩.૫ વર્ષમાં રેલવેને ઘણીવાર રીમાઇનડર મોકલ્યા પણ તેમની પાસે તેનો કોઈ જવાબ જ નહોતો. હવે આ ખાતર ખરાબ થઇ ચુક્યું છે અને રેલવે તેની ભરપાઈ કરી શકશે.
તો ઉત્તર -પૂર્વ રેલવેના ચિફ પબ્લિક રિલેશન ઓફિસર સંજય યાદવ કહે છે કે, ‘ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ડબ્બામાં ક્યારેય કોઈ તકલીફ આવી જાય છે તો તે ટ્રેનને હટાવી દેવામાં આવે છે. આ ડબ્બાની સાથે પણ તેવું જ થયું હતું જેના કારણે આટલું મોડું થયું છે.’
જે પણ થયું તે ભારતીય રેલવેની બેદરકારી અને સરકારી ઉદાસીનતાનું સૌથી મોટું ઉદાહરણ છે, વાતો ભલે વિકાસની અને ગતિશીલતાની થાય પણ પરિસ્થિતિ તો ભાડા વધવા છતાંપણ બગડતી જ જાય છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI