
વાતાવરણમાં તફાવત આવતાં જ ગરમી અને પરસેવાને કારણે આપણે થોડા અકળાઈ જતાં હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સીમિત સમય માટે સૂર્યનાં કિરણોનો ઉપયોગ કરવો શરીરને લાભ પહોંચાડે છે. સૂર્યનાં કિરણો ફાયદાકારક છે તેનો અર્થ એ નથી કે તેમાં વધુ સમય સુધી બેસી રહેવું જોઈએ, કેમકે તડકામાં વધુ સમય સુધી બેસવાથી સનબર્ન, સાથે જ સ્કીન કેન્સરનું પણ જોખમ વધી જાય છે. પરંતુ નક્કી કરેલી મર્યાદામાં સૂર્યનાં કિરણોનું સેવન તંદુરસ્તી માટે ફાયદાકારક છે.

જેમકે આપણે જાણીએ છીએ કે સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય જ ના હોત. સૂર્યના કિરણોથી જ જીવનને ઉર્જા મળે છે તેમજ શારીરિક અને માનસિક રોગોનું પણ નિવારણ થાય છે. સનાતન ધર્મ માં સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પાંચ દેવોની સ્થાપનાનું મહત્વ માનવામાં આવે છે. આ પાંચેય દેવોમાં થી સૂર્યને પ્રત્યેક્ષ દેવ માનવામાં આવ્યા છે.

શાસ્ત્રોમાં સૂર્યની ઉપાસના વિશે કહેવામાં આવ્યું છે. સૂર્યની ઉપાસના માટે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન વગેરે કરી સાફ કપડા પહેરી સૂર્યદેવનું ધ્યાન ધરવામાં આવે છે. સૂર્યોદયમાં સૂર્યની સામે ઉભા રહીને સૂર્યને નમસ્કાર કરવામાં આવે છે, નમસ્કાર કરતા સમયે પાણીના ધોધથી થઈને જે સૂર્યના કિરણો આપણા સૂર્યને સ્પર્શે છે તે શરીરમાં વિદ્યમાન રોગના કીટાણુંને નાશ કરે છે તેમજ શરીરમાં ઉર્જાનું સંચાર કરે છે.

સૂર્યને નમસ્કાર કરવાના બે પ્રકાર હોય છે. એમાંથી એક જળાશય અથવા નદીના પાણીમાં ઉભા રહીને અંજલીથી અથવા તાંબાના વાસણમાં પાણી ભરીને એને આપણા મસ્તકથી ઉપર લઇ જઈને સૂર્યને પાણી રેડવું જોઈએ.

સૂર્યને પાણી ચઢાવવાની બીજી વીશીમાં સ્વયં ની સામે ઉગતા સૂર્યને પાણી આપવામાં આવે છે. એમાં એક તાંબાના લોટામાં પાણી લઈને એમાં ચંદન, ચોખા તેમજ ફૂલ લઈને મસ્તકની ઉપર તાંબાના લોટને લઇ જઈને સૂર્યને સમર્પણ કરવું જોઈએ.
સૂર્યને પાણી ચઢાવતા સમયે પાણી પગની નીચે આવવું ન જોઈએ. એના માટે ઉપર ચઢવા માટે પગની નીચે કોઈ વાસણ રાખી લો. વાસણમાં એકત્રિત પાણીને માથા પર, હ્રદય પર તેમજ બંને બાહો પર લગાવવું જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team