પંચકેદારમાંથી એક મધમહેશ્વર! સુંદરતાથી ભરપૂર એવા મંદિરની જાણો સંપૂર્ણ જાણકારી

Image Source

બદ્રીનાથ મંદિર ની પાસે ઘણા બધા તીર્થ સ્થાન અને પર્યટન સ્થળો છે અને તેમાંથી અમુક ટ્રેકિંગ સ્થળો પણ છે મધ્ય મહેશ્વર મંદિર પણ એવું જ એક ધાર્મિક સ્થળ છે જે લોકપ્રિય નથી પરંતુ આ મંદિરની ખૂબ જ માન્યતાઓ છે.

ભગવાન શંકરને સમર્પિત આ પ્રસિદ્ધ મંદિર પંચ કેદારમાંથી એક છે મધ્ય મહેશ્વર મંદિર, આ મંદિર 3497 મીટર ની ઊંચાઈ પર આવેલ છે. અને પંચકેદાર તીર્થયાત્રા સર્કિટમાં દર્શન કરનાર ચોથું મંદિર છે અન્ય મંદિર જેમકે કેદારનાથ તુંગનાથ અને કપિલેશ્વર અહીં બે વિજા નાના નાના મંદિર છે એક માતા પાર્વતી અને બીજું અર્ધનારેશ્વરજીનો છે.

મધ્ય મહેશ્વર મંદિર ઉત્તરાખંડમાં ગઢવાલ હિમાલયના મનસુરા ગામમાં આવેલ છે શંકર ભગવાનના દિવ્ય રૂપ અનુસાર બળદના નાભિ ની પૂજા આ મંદિરમાં કરવામાં આવે છે જેને હિન્દુ મહાકાવ્ય મહાભારતના નાયક પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું તેવું માનવામાં આવે છે.

ત્યાં આવેલ વૃદ્ધ મધ મહેશ્વર ના નામથી જાણીતું એક જૂનું મંદિર છે જે કમાન્ડિંગ ચોખંબા પહાડ પરથી સીધું દેખાય છે ચોમાસામાં આ જગ્યા ખૂબ જ દેખવા લાયક હોય છે અને ભારતમાં તે બંધની સુંદરતા ખૂબ જ જોવા લાયક હોય છે મધ મહેશ્વરને રહસ્યમય એટલા માટે માનવામાં આવે છે કારણ કે તેને ડાબી તરફથી ઢંકાયેલ હિમાલય છે અને જમણી તરફ હરિયાળીવાળા ઘાસ મેદાન અને જંગલ જોવા મળે છે.

ભરવાડની ઝૂંપડીઓ, ગામના ઘરો, હજારો વર્ષ જૂનું મદમહેશ્વર મંદિર અને અદ્ભુત દૃશ્યો આ શહેરને પૂર્ણ કરે છે. મંદિરનું સ્થાપત્ય ઉત્તમ ઉત્તર ભારતીય શૈલીનું છે. મુખ્ય મંદિરની ડાબી તરફ સંગે મરમરથી બનેલ સરસ્વતીજીની મૂર્તિ સ્થાપિત છે અને આ મંદિરના દરેક પુજારી દક્ષિણ ભારતના છે જે લિંગ્યત જાતિના જાંગમાં કહેવામાં આવે છે. જે કર્ણાટક રાજ્યના મૈસુરના રહેનાર છે.

Image Source

દર્શન કરવાનો સૌથી સારો સમય

મધમહેશ્વર મંદિર જવાનો સૌથી સારો સમય મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર છે.

Image Source

અહીં સુધી કઈ રીતે પહોંચવું?

મધ મહેશ્વર મંદિર સુધી ડાયરેક્ટર રોડ ન હોવાના કારણે ગૌરીકુંડ થી 16 કિલોમીટર ચઢાણ કરવું પડશે અને મંદિર સુધી પહોંચવા માટે ટટ્ટુ પણ મળે છે.

રોડ નો રસ્તો

ગૌરીકુંડ ઉત્તરાખંડના પ્રમુખ સ્થળો સાથે રોડના રસ્તે સારી રીતે જોડાયેલો છે હરિદ્વાર, ઋષિકેશ અને શ્રીનગર માટે ઘણી બધી બસો ઉપલબ્ધ હોય છે.

ટ્રેનના રસ્તે

ગૌરીકુંડ થી નજીક ઋષિકેશ રેલવે સ્ટેશન છે ત્યાંથી તમે કેબ લઈ શકો છો.

હવાઈ જહાજના રસ્તે

જોલી ગ્રાન્ડ એરપોર્ટ ગૌરીકુંડ થી નજીકનું એરપોર્ટ છે ત્યારબાદ તમે અહીંથી ટેક્સી કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment