યુએનના રિપોર્ટ અનુસાર, ધ્વનિ પ્રદૂષણમાં યુપીનું આ શહેર બીજા નંબરે, જાણો રેન્કિંગ સાથેના આંકડા શું છે?

Photo: India Today

ઉત્તર પ્રદેશનું મુરાદાબાદ દુનિયાનું બીજું સૌથી ધનિક પ્રદૂષિત શહેર માનવામાં આવ્યું છે મુરાદાબાદમાં લગભગ 114 ડેસીબલ ધ્વનિ પ્રદૂષણ નોંધવામાં આવ્યું છે યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામની એક અત્યારની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કુલ 61 શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધ્વનિ પ્રદૂષણ ના લિસ્ટ માં બાંગ્લાદેશની રાજધાની ઢાકા નું નામ પહેલા સ્થાન ઉપર છે અને તેનું સર્વોત્તમ 119 ડેસીબલ છે. ઢાકા અને મુરાદાબાદ લીસ્ટમાં ત્રીજા નંબર ઉપર 105 ડેસિબલની સાથે ઇસ્લામાબાદ આવે છે અને આ લિસ્ટમાં દક્ષિણ એશિયા ના કુલ 13 શહેરનું નામ નોંધવામાં આવ્યું છે જેમાં પાંચ શહેર ભારતના પણ છે. મુરાદાબાદ સિવાય કલકત્તા (89 ડેસિબલ), પશ્ચિમ બંગાળનું આસનસોલ(89 ડેસિબલ ), જયપુર (84 ડેસીબલ) અને રાજધાની દિલ્હી (83 ડેસીબલ) નું નામ પણ સામેલ છે.

તમને જણાવી દઈએ કે ખેતર ડેસીબલ થી વધુ અવાજ ની ફ્રિક્વન્સી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વર્ષ 1999 ની ગાઈડ લાઈન માં રહેણાંક વિસ્તારો માટે 55 ડેસિબલની ભલામણ કરવામાં આવી હતી, જ્યારે ટ્રાફિક અને વ્યવસાય ક્ષેત્રો માટે તેની મર્યાદા 70 ડેસિબલ રાખવામાં આવી હતી.

UNEP ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એન્ડ ફ્રેન્ડસ અને કહ્યું કે આ ઉચ્ચ ગુણવત્તાવાળી ઊંઘ પર ખૂબ જ ખરાબ અસર નાખીને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં તેનાથી ઘણા બધા જાનવરની પ્રજાતિઓના સંચાર અને તેમની સાંભળવાની ક્ષમતા ઉપર પણ પ્રભાવ પડે છે, એક અધિકારી પોલીસ રિપોર્ટ અનુસાર યૂપી પોલીસની ઇમરજન્સી સર્વિસ 2021માં ધ્વનિ પ્રદૂષણના 14 હજારથી વધુ કે નોંધ્યા છે તેમાં સૌથી વધુ તકલીફ લગ્નમાં 10 વાગ્યા બાદ વાગતા લાઉડ સ્પીકર થી જોડાયેલી છે.

Photo: Reuters/Representational)

ધ્વનિ પ્રદૂષણ સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક?

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ધ્વનિ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી આપણા શરીરમાં રિએક્શનની એક સંપૂર્ણ સિરીઝ હોય છે તેને એરાસોલ રિસ્પોન્સ કહેવામાં આવે છે. જે શરીરના અલગ અલગ અંગોને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે તેનાથી આપણું હાર્ટ રેટ બ્લડપ્રેશર અને શ્વાસ લેવાનો રેટ પણ ખૂબ જ વધી શકે છે. અને તદુપરાંત તમને ડાયજેશન થી જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. ધ્વનિ પ્રદુષણ ની ખરાબ અસર આપણી રક્તવાહિકા ઉપર થાય છે અને તેનાથી આપણા સ્નાયુઓ પર તણાવ વધે છે.

તે સિવાય ધ્વનિ પ્રદૂષણ નોઇસ ઇંડયુસ્ડ હિયરિંગ લોસ ની સમસ્યાને પણ તે ટ્રીગર કરી શકે છે તે તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અવાજના સંપર્કમાં રહે છે. અથવા તો થોડા સમય માટે તીવ્ર અવાજના સંપર્કમાં રહે છે. આ પ્રકારનો તીવ્ર અવાજ આપણા કાનના અંદરના સંવેદનશીલ ભાગ ને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. તે સિવાય ધ્વનિ પ્રદૂષણ હાર્ટની તકલીફ માઈગ્રેન અને ઊંઘની જોડાયેલા વિકાર તથા ઉત્પાદન ક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “યુએનના રિપોર્ટ અનુસાર, ધ્વનિ પ્રદૂષણમાં યુપીનું આ શહેર બીજા નંબરે, જાણો રેન્કિંગ સાથેના આંકડા શું છે?”

Leave a Comment