ભારતમાં ઉનાળા દરમિયાન ફરવાલાયક સ્થળો: ઉનાળાની ઋતુ શરૂ થતા જ દરેક વ્યક્તિ આ ઋતુમાં સૂર્યના તડકાથી પરેશાન થવા લાગે છે. જો તમે ભારતના એવા કોઈ સ્થળે રહો છો જ્યાં ખૂબ વધારે ગરમી પડે છે અને તમે ભારત દેશમાં કોઈ ઠંડા સ્થળ પર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા હિલ સ્ટેશન પણ છે, જે ઘણા ઠંડા હોય છે. જે ભારતમાં ઉનાળામાં દરમિયાન ફરવા માટેના એકદમ યોગ્ય સ્થળો છે , આ હિલ સ્ટેશનની યાત્રા કરવા તમે ઉનાળામાં પણ ઠંડીની મજા લઈ શકો છો.
જો તમે ઉનાળાની રજામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ લેખ જરૂર વાંચો, તેમાં અમે તમને ભારતના સૌથી ઠંડા સ્થળો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ઉનાળાની ઋતુમાં પણ આનંદ માણી શકો છો.
૧. ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ, મનાલી:
મનાલી ભારતના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંથી એક છે. પીર પંજાલ અને ધૌલાધાર પર્વતમાળાના બરફથી ઢંકાયેલા રસ્તાઓ વચ્ચે આવેલું મનાલી ભારતમાં ઉનાળામાં સૌથી વધારે ફરવાલાયક સ્થળોમાંથી એક છે. મનાલીનું કુદરતી વાતાવરણ, લીલાછમ જંગલો, ફૂલોની સાથે વિખેરાયેલા ઘાસના મેદાનો, વાદળી રંગની નદીઓ અને તાજી હવાઓ ઉનાળા માટે ભારતમાં ખાસ પ્રવાસ સ્થળ બનાવે છે. મનાલીમાં સંગ્રહાલયોથી લઈને મંદિર, નાના હિપ્પી ગામો, કઠોર શેરીઓમાં ફરવાની સાથે તમે અહી ઉનાળામાં ઘણા પ્રકારના વોટર સ્પોર્ટ, ટ્રેકિંગ ટ્રેલ્સ અને પેરાગ્લાઈડિંગની મજા પણ માણી શકો છો. જો તમે ઉનાળામાં ફરવા માટે કોઈ સારું સ્થળ શોધી રહ્યા છો તો તમારે મનાલીની મુલાકાત જરૂર લેવી જોઈએ. ઉનાળાની ઋતુમાં મનાલીનું તાપમાન ૧૦°c થી ૨૫°c ની વચ્ચે રહે છે.
૨.ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ તવાંગ:
અરુણાચલ પ્રદેશમાં લગભગ ૩૦૪૮ મીટરની ઉંચાઈ પર આવેલું તવાંગ, ઘણા મહત્વના અને સુંદર મઠો માટે ઓળખવામાં આવે છે અને દલાઇ લામાના જન્મ સ્થળ રૂપે પ્રખ્યાત છે. તવાંગ ભારતમાં ઉનાળામાં ફરવાલાયક સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. જો તમે સૂર્યની ગરમીથી પરેશાન થઈ ચૂક્યા છો તો તમારે તવાંગની યાત્રા જરૂર કરવી જોઈએ. તવાંગ એક ઠંડુ અને સુંદર શહેર છે જેને મઠો માટે ઓળખવામાં આવે છે. જો તમે ઉનાળાની ઋતુમાં પણ તવાંગની યાત્રા કરો છે તો તે આધ્યાત્મિકતાની સુંદરતામાં સમિતિ પોતાની કુદરતી સુંદરતાથી તમારી યાત્રા ને ખૂબ જ સુખદ બનાવે છે. ઉનાળામાં તવાંગનું તાપમાન ૫°c થી ૨૧°c ની વચ્ચે રહે છે જે ભારતના ગરમ સ્થળોની તુલનામાં ઘણું ઓછું હોય છે.
૩.ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળ, ગંગટોક:
ગંગટોક ભારતના સિક્કીમ રાજ્યનું સૌથી મોટું શહેર છે, જે ભારત દેશમાં ઉનાળામાં ફરવાલાયક સૌથી ખાસ સ્થળોમાંથી એક છે. ગંગટોક એક ખુબ જ સુંદર, આકર્ષિત, કુદરતી અને વાદળોથી ઘેરાયેલું પ્રવાસ સ્થળ છે જ્યાંની ઠંડક અહી આવતા પ્રવાસીઓનું દિલ દિમાગ તાજુ કરી દે છે. ગંગટોક સિક્કિમમાં પૂર્વ હિમાલય પર્વતમાળા પર શિવાલિક પહાડો ઉપર ૧૪૩૭ મીટરની ઉંચાઈ પર આવેલું છે. તેની સાથેજ ગંગટોક ઉત્તર ભારતમાં સફેદ પાણીના રાફટિંગ માટે ત્રીજુ સૌથી સારું સ્થળ છે. ગંગટોક ઉનાળામાં ભારતનું એક સારુ પ્રવાસ સ્થળ છે, જે તેના ઘણા આકર્ષણોને કારણે યાત્રીઓને અહીં આવવા માટે મજબૂર કરે છે. ઉનાળાની ઋતુમાં ગંગટોક નુ તાપમાન લગભગ ૨૨°c સુધી રહે છે.
૪.ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ, ઉટી:
ઉટી ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. આ સ્થળ એક સમયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક હતું. ઉટી ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે જેને પહાડોની રાણીના રૂપે ઓળખવામાં આવે છે. તે તમિલનાડુનું એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં આખા વર્ષ માટે એક અનુકૂળ વાતાવરણ જોવા મળે છે. સમુદ્ર કિનારેથી ૨૨૪૦ મીટરની ઊંચાઈ પર નીલગીરી પહાડોની વચ્ચે આવેલું ઉટી મોટી સંખ્યામાં યાત્રીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ઉનાળામાં ઉટીની યાત્રા કરવી સૌથી શ્રેષ્ઠ છે કેમકે આ ઋતુમાં ત્યાનું તાપમાન ૨૦°c થી ૩૦°c ની વચ્ચે રહે છે.
૫. ભારતમાં ઉનાળાનું પ્રવાસ સ્થળ એટલે રાણીખેત:
રાણીખેત ઉત્તરાખંડનું એક ખુબજ ઠંડુ અને મુખ્ય હિલ સ્ટેશન છે. જેનો વિકાસ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો. રાણીખેત હિમાલય પર્વતના પહાડો અને જંગલોને જોડે છે. રાણીખેતનું શાંત વાતાવરણ અને કુદરતી સુંદરતા તેને ઉનાળાનું એક શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ બનાવે છે. રાણીખેત તેના ઘણા શ્રેષ્ઠ પ્રવાસ સ્થળના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
જો તમે ઉનાળાની ઋતુમાં ભારતમાં કોઈ ફરવાલાયક સારું સ્થળ શોધી રહ્યા છો તો રાણીખેત તેના માટે એક ઉત્તમ સ્થળ સાબિત થઈ શકે છે. રાણીખેતમાં ઉનાળાનું તાપમાન ૮°c થી ૨૨°c ની વચ્ચે રહે છે.
૬.ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળ, દાર્જિલિંગ:
દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ રાજ્યનું એક મુખ્ય પ્રવાસ સ્થળ છે, જે પૂર્વ હિમાલયની તળેટીમાં આવેલું છે. દાર્જિલિંગની સીમાઓ બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળના દેશોની સાથે જોડાયેલી છે. દાર્જિલિંગ સમુદ્ર કિનારેથી ૨૧૩૪ મીટરની ઊંચાઈ પર આવેલું છે અને ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે. દાર્જિલિંગ ભારતનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે જે ઘણું ઠંડુ સ્થળ છે. તેની મનમોહક પહાડીઓ સાથે દાર્જિલિંગ તેના ચાના બગીચા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દાર્જિલિંગની કુદરતી સુંદરતાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓ અહી ફરવા માટે આવે છે. દાર્જિલિંગમાં ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન ૨૫°c આજુબાજુ રહે છે.
૭. ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ, મૈકલોડગંજ:
મૈકલોડગંજ હિમાચલ પ્રદેશ રાજ્યમાં ધર્મશાળાની પાસે આવેલું એક હિલ સ્ટેશન છે જે બ્રિટિશ પ્રભાવ સાથે તિબ્બતી સંસ્કૃતિનું સુંદર મિશ્રણ છે. ભારતમાં ઉનાળાની ઋતુમાં યાત્રા કરવા માટે મૈકલોડગંજ એક આદર્શ પ્રવાસ સ્થળ છે. તમારી મૈકલોડગંજની યાત્રા દરમિયાન તમે ત્રિયાંડ અને ઇન્દ્રહર પાસની મુલાકાત લઈ શકો છો અને તે સ્થાનના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું અન્વેષણ કરી શકો છો. મૈકલોડગંજમાં ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન ૨૫°c સુધી રહે છે.
૮. ઉનાળામાં ફરવા માટેનું સ્થળ, સ્પીતી ઘાટી:
જો તમે ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ શોધી રહ્યા છો તો હિમાચલ પ્રદેશમાં આવેલ સ્પીતી ઘાટીથી સારું સ્થળ તમારા માટે બીજુ કોઈ નથી. સ્પીતી ઘાટી સમુદ્ર કિનારેથી ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને દરેક બાજુથી હિમાલયથી ઘેરાયેલી છે. સ્પીતી ઘાટીનું ઠંડુ રણ, મનોહર ખીણો અને વાતાવરણ તેને ભારતમાં ઉનાળાનું શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ બનાવે છે. આ ઘાટી હિમાલયના એક એવા સ્થળ પર છે જ્યાં વર્ષમાં માત્ર ૨૫૦ દિવસ તડકો મળે છે. જેના કારણે તે દેશના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે. અહી ઉનાળાની ઋતુમાં તાપમાન લગભગ ૧૫°c ની આજુબાજુ રહે છે.
૯. ઉનાળામાં ફરવાલાયક સ્થળ, કૌસાની:
કૌસાની ભારતના ઉતરાખંડમાં બાગેશ્વર જિલ્લામાં આવેલું એક લોકપ્રિય પ્રવાસ સ્થળ છે. જે ભારતમાં સૌથી શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળોમાંથી એક છે. કૌસાની ભલે એક નાનું ગામ છે પરંતુ ત્યાંની હરિયાળી, દેવદારના ઝાડ અને હિમાલયની આકર્ષિત શિખરો તેને ઉતરાખંડનું એક મુખ્ય પ્રવાસ સ્થળ બનાવે છે. કૌસાની ઉનાળાની ઋતુમાં ફરવા માટે ભારતમાં એક ઉતમ સ્થળ છે. કૌસાની પ્રકૃતિ પ્રેમીઓ, હનીમૂન માટે સ્વર્ગ સમાન છે.
જો તમે ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ શોધી રહ્યા છો તો એક વાર કૌસાનીની યાત્રા જરૂર કરો. કૌસાની ઉનાળામાં જોવા માટેનું એક ઉત્તમ સ્થળ છે કેમકે આ દરમિયાન ત્યાનું તાપમાન ૧૫°c થી ૨૭°c ની વચ્ચે રહે છે.
૧૦. ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક સ્થળ, માઉન્ટ આબુ:
માઉન્ટ આબુ ભારતના રાજસ્થાન રાજ્યનું એક હિલ સ્ટેશન છે જે તેની શાંતિ અને લીલાછમ વાતાવરણના કારણે પ્રવાસીઓ દ્વારા ઉનાળામાં ફરવા માટેની સૌથી ખાસ જગ્યાઓમાંથી એક છે.
માઉન્ટ આબુનું શાંત વાતાવરણ અને નીચેના મેદાનોનું દ્રશ્ય પ્રવાસીઓને તેમની તરફ આકર્ષિત કરે છે. માઉન્ટ આબુના નક્કી તળાવમાં તમે નૌકાવિહાર પણ કરી શકો છો, જે અહી ખૂબ પ્રખ્યાત છે. માઉન્ટ આબુના પ્રવાસ દરમિયાન તમે ત્યાંના મુખ્ય પ્રવાસ સ્થળ જેમકે હનીમૂન પોઇન્ટ, સનસેટ પોઈન્ટ અને દીલવાડાના મંદિરની યાત્રા પણ કરી શકો છો. ઉનાળામાં માઉન્ટ આબુનું મહત્તમ તાપમાન ૩૩°c સુધી રહે છે.
૧૧. ઉનાળામાં ફરવા લાયક સ્થળ, ડેલહાઉસી:
ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું નાનકડું શહેર છે, જે પોતાના પ્રાકૃતિક પરી દ્રશ્યો, ખીણો, ફૂલો, ઘાસના મેદાનો અને સખત પ્રવાહ વાળી નદીઓને લીધે પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. ડેલહાઉસી ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે જેના લીધે આ હિલ સ્ટેશન ઉનાળાના સમયમાં અંગ્રેજોના મનપસંદ સ્થળોમાંથી એક હતું. જો તમે ઉનાળામાં ભારતમાં ફરવાલાયક સારા સ્થળો શોધી રહ્યા છો તો તમે ડેલહાઉસી જઈ શકો છો. ઉનાળા દરમિયાન ડેલહાઉસી નુ તાપમાન ૧૫°c થી ૩૦°c વચ્ચે રહે છે. આ પ્રવાસ સ્થળ ગીચ સ્થાનોથી એકદમ અલગ એક પ્રદૂષણમુક્ત પ્રકૃતિની ગોદમાં વસેલું છે જ્યાં તમારે એક વાર જરૂર જવું જોઈએ.
૧૨. ઉનાળામાં ભારતમાં ફરવા લાયક પ્રવાસ સ્થળ, શિમલા:
શિમલા ઉત્તર ભારતનું એક મુખ્ય પ્રવાસ અને લોકપ્રિય હિલ સ્ટેશન છે. શિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે અને ભારતમાં ઉનાળાની ઋતુમાં ફરવાલાયક એક ઉત્તમ સ્થળ છે. શિમલા ૨૨૦૦મીટરની ઊંચાઈએ આવેલું છે જે બ્રિટિશ ભારતની પૂર્વ ઉનાળાની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉનાળામાં સીમલા નુ તાપમાન ૧૫°c થી ૩૦°c વચ્ચે રહે છે. આ શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને વાતાવરણને લીધે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. શિમલાના ઐતિહાસિક મંદિરોની સાથે અહીંની વસાહતી શૈલીની ઇમારતો વિશ્વભરમાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરીને મંત્રમુગ્ધ કરે છે. જો તમે ઉનાળામાં આનંદ માણવા ઇચ્છો છો તો તમારા માટે ભારતમાં શિમલાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નથી.
આ લેખમાં તમે ઉનાળામાં ફરવાલાયક ભારતના સૌથી ઉત્તમ સ્થળ વિશે જાણ્યું. તમને અમારો આ લેખ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team