શ્રાવણ ના 16 સોમવાર ના વ્રત ને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 16 સોમવાર નું વ્રત શ્રાવણ,ચૈત્ર,વૈશાખ,કાર્તિક,મહિના ના શુક્લ પક્ષ ના સોમવાર થી કરવામાં આવે છે.
અપર્ણીત છોકરીઓ આ વ્રત થી તેમનો મનપસંદ વર મેળવી શકે છે. આમ તો આ વ્રત કોઈ પણ કરી શકે છે પણ નિયમો ને આધીન એજ લોકો કરે છે જેનામાં ક્ષમતા હોય છે.
- વિવાહિત તેને કરવા પહેલા બ્રહ્મચર્ય નિયમો નું પાલન કરે. ચાલો જાણીએ 16 સોમવાર ની 16 વાતો..
- સુર્યોદય થી પહેલા ઉઠી ને સ્નાન કરવા ના પાણી માં કાળા તલ નાખી ને સ્નાન કરવું.
- આ દિવસે સુર્ય ને હળદર નાખેલું પાણી જ અર્પિત કરવું.
- ભગવાન શિવ ની ઉપાસના કરવી. સૌ પહેલા તાંબા ના એક પાત્ર માં શિવલિંગ મૂકવું.
- ભગવાન શિવ નું અભિષેક પાણી કે ગંગાજળ થી જ થાય છે. પરંતુ વિશેષ મનોકામના માટે દૂધ, દહી, ઘી, મધ, ચણા ની દાળ, કળા તલ જેવી સામગ્રી થી અભિષેક કરવું સારું ગણાય છે.
- ત્યાર બાદ ૐ નમઃ શિવાય મંત્ર ના જાપ કરતી વખતે સફેદ ફૂલ, ચંદન, ચોખા,પંચામૃત, સોપારી, ફળ, અથવા સ્વચ્છ પાણી થી ભગવાન શિવ અને પાર્વતી ની પૂજા કરવી.
- અભિષેક ની સાથે મંત્રો નું જાપ પણ કરતાં રહેવું જોઈએ.
- શિવ પાર્વતી ની પૂજા પછી સોમવાર ના વ્રત ની કથા પણ કરવી.
- આરતી કર્યા પછી ભોગ ધરાવો અને ઘરના સર્વ ને આપ્યા પછી જ પોતે ગ્રહણ કરવો.
- મીઠવાળો પ્રસાદ ન કરવો.
- બપોરે સૂઈ ન જવું.
- દરેક સોમવરે પૂજા નો ટાઇમ ફિક્સ રાખવો.
- દરેક સોમવારે એક જ સમય પર એક જ પ્રસાદ ગ્રહણ કરવો.
- પ્રસાદ માં ગંગાજળ, તુલસી, લવિંગ,ચુરમા, ખીર, માંથી તમારી ક્ષમતા અનુસાર ગ્રહણ કરવું.
- 16 સોમવાર સુધી કોઈ પણ ખાધ્ય સામગ્રી ને એક જ જગ્યા એ બેસી ને ગ્રહણ કરવું. ચાલતા-ફરતા ગ્રહણ ન કરવું.
- દરેક સોમવારે વિવાહિત જોડા ને કોઈ ભેટ આપવી.
- 16 સોમવાર સુધી પૂજા ના નિયમ ને ભંગ ન કરવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team