ગરમીમાં આપણા શરીરનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમા પણ હાલ કોરોનાકાળમાં ખાવા પિવા ઉપર અને કસરત પર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને યોગ કરવાથી આપણાને શારીરક અને માનસીક શાતિ મળતી હોય છે. તેમા પણ શીતલી પ્રાણાયમની આપણા શરીર પણ ઘણી સારી અસર પડે છે. જો રોજ શીતલી પ્રાણાયામ આપણે કરીએ તો આપણું મન શાંત રહે છે. સાથેજ શરીરનું તાપમાન પણ ઘણું સારું રહેતું હોય છે.
શિતલી પ્રાણાયામ કરવાને કારણે તામારા મગજને આરામ મળે છે. જેથી નિષ્ણાંતો દ્વારા પણ શિતલી પ્રાણાયામ કરવાની સલાહ આપવામાં આવે છે. શીતલી શબ્દ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે ઠંડુ અને શાંત. નામ સાથેજ ખબર પડે છે. આ પ્રાણાયામ મનને શાંત રાખે છે.
કેવી રીતે કરશો શીતલી પ્રાણાયામ ?
શીતલી પ્રાણાયામ કરવા માટે તમે સૌથી પહેલાતો આરામથી એક સ્થાન પર બેસી જાવ. પછી તમારા હાથને ઘુટણો પર રાખીને ધ્યાન ધરો. તમારી આંખો બંધ કરીને જીભ બહાર રોલ કરજો. અને જીભને એક ટ્યૂબ સ્વરૂપે આકારપ આપજો. જીભના માધ્યમે બને તેટલો ઉડો શ્વાસ લેજો. જીભને મોની અંદર લઈ જાવ અને તમારું મોઢું બંધ કરજો. બાદમાં નાક દ્વારા ધીરે ધીરે શ્વાસ છોડજો. આ પ્રક્રિયાને સતત ચાર વખત કરજો.
શીતલી પ્રાણાયામથી શું લાભ થશે ?
શીતલી પ્રાણાયામને કારણે શરીર ઠડું રહે છે. સાથેજ તામારી માસપેશીઓને પણ આરામ મળે છે. ઉપરાંત જે લોકોને બ્લડપ્રેશર જેવી બિમારી છે. તેવા લોકો માટે આ પ્રાણાયમ સૌથી ફાયદેમંદ છે. શીતલી પ્રાણાયામ કરવાથી પેટ સંબંધી રોગો સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે. અને તમારું પાચનતંત્ર પણ મજબૂત થાય છે. શીતલી પ્રાણાયામને કારણે ભૂથ અને તરસ ઉપર પણ તમે નિયંત્રણ રાખી શકશો. જો નિયમીત રીતે તમે આ પ્રાણાયામ કરશો તો તમારુ મન શાંત રહેશે.
શીતલી પ્રાણાયામ કોણે ન કરવું જોઈએ ?
જે લોકોને લો બ્લડપ્રેશરની બિમારી છે. ઉપરાતં અસ્થમાં અને શર્દીખાસી જેવી સમસ્યા છે. તેવા લોકોએ આ પ્રાણાયામ ન કરવો જોઈએ. જે લોકોને વધારે પડતી કબજિયાતની સમસ્યા છે. તે લોકોએ પણ આ પ્રાણાયમ ન કરવો જોઈએ. ઉપરાંત ખાસ કરીને શિયાળામાં તમારે આ પ્રાણાયામ ન કરવા જોઈએ અને દિવસમાં 10 થી 15 વાર કરવા જોઈએ. અથવા તો 15 થી 30 મીનીટ તમારે આ પ્રાણાયામ કરવા જોઈએ…
ઉલ્લેખનીય છે કે તમે ગરમીઓમાં શિતલી પ્રાણાયામની સાથે શિતકારી પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ પણ કરી શકો છો. જેનાથી તમે ઘણા લાભ મળી રહેશે.
Source:- Pinterest
કેવી રીતે કરશો શીતકારી પ્રાણાયામ ?
શીતકારી પ્રાણાયામ કરવા માચે તમારું મોઢું ખુલ્લુ રાખજો અને જીભ બહાર નીકાળજો. બાદમાં તમારા હોઠને ઓ આકારમાં રાખજો. ત્યારબાદ તમારા મુખમાંથી તમે શ્વાસ લેવાનું રાખજો અને છોડજો. જ્યારે તમે મોઢાથી શ્વાસ લેશો ત્યારે ત્યારે ઠંડી હવા અંદરની સાઈ જોરથી આવશે. તમારે એ તનું ધ્યાન રાખવાનું છે કે શીતલી પ્રાણાયામની જેમ શીતકારી પ્રાણાયામ પણ ગરમીઓમાંજ કરવામાં આવે છે.
ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરશો ?
ભ્રામરી પ્રાણાયામ એક એવું પ્રાણાયામ છે કે જે કરવાને કારણે તામારું માથું ઠંડુ રહેતું હોય છે. ભ્રામરી પ્રાણાયામ કરવા માટે સૌથી પહેલા તમે તામારા હાથની આંગળીઓને તેમજ કાન અને આંખને બંધ કરીને ગળાના માધ્યમે “મ”નું ઉચ્ચારાણ કરજો. ખાસ કરીને મોટી ઉંમરના લોકો કે જેમને ખભાનો દુખાવો રહેતો હોય છે તે લોકો પણ આ પ્રાણાયામ કરી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team