શું તમારા જીવનસાથીમાં પણ આ 5 વાતો છે? તો લગ્નનો નિર્ણય હોય શકે છે ખોટો!!

Image Source

લગ્ન જીવનનો ખૂબ મોટો નિર્ણય હોય છે આ નિર્ણય લેતા પેહલા તમારે તમારા પાર્ટનરની સારી રીતે ઓળખ કરવી ખૂબ જરૂરી છે.

લગ્ન જીવનના મહત્વના નિર્ણય માંથી એક છે. લગ્ન કરતા પેહલા હંમેશા તે વાતની તપાસ કરી લેવી જોઈએ કે જે વ્યક્તિ સાથે તમે તમારૂ પૂરું જીવન વિતાવવાના છો તે સ્વભાવમાં કેવા છે? સરખી રીતે ઓળખ્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. સામાન્ય રીતે તેમ માનવામાં આવે છે કે પ્રેમ લગ્નમાં વધારે સમસ્યા આવે છે. આ વિચારને અમેરિકાના એક શોધ દ્વારા જાણવા મળ્યું છે કે ૮૦ ટકા પ્રેમ લગ્ન કરનાર કપલ્સ માને છે કે લગ્ન પછી તેના જીવનસાથીનો સ્વભાવ બદલાઈ જાય છે.

આ લેખના માધ્યમથી અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેનાથી તમે તે ઓળખ કરી શકો છો કે તમારો જીવનસાથી લગ્ન પછી બદલાશે તો નહિ. જો તેનામાં પણ આ 5 આદતો છે તો લગ્ન કરતા પેહલા એક વાર ફરી આ નિર્ણય પર વિચાર કરી લો –

Image Source

૧. સંબંધ અને લગ્ન વિશે મુંઝવણ:

કહેવાય છે કે પ્રેમ કરવો જેટલો સરળ છે સંબંધ નિભાવવો એટલો જ મુશ્કેલ હોય છે. ઘણીવાર બે લોકો સંબંધમાં તો ખૂબ જલ્દી આવી જાય છે પરંતુ જ્યારે પ્રતિબદ્ધતાની વાત આવે છે ત્યારે તેઓ મુંઝાવા લાગે છે. આ મુંઝવણ તમારા સંબંધ માટે બિલકુલ પણ સારી નથી. ક્યારેક ક્યારેક લોકો પરિવારના દબાણમાં લગ્ન માટે હા કહી દે છે પરંતુ ત્યારબાદ દિલથી સંબંધ સ્વીકારી શકતા નથી. આ રીતે સંબંધ તૂટવા લાગે છે. તમારે તમારા જીવનસાથી સાથે બેસીને વાત કરવી જોઇએ અને તેનો અભિપ્રાય જાણવો જોઈએ. લગ્નની વાત પર ગુસ્સો થઈ રહ્યો છે તો સમજી લો કે તે સંબંધ તમારા માટે સારો નથી. આ સંકેત છે કે સામેવાળી વ્યક્તિ તેનું ભવિષ્ય તમારી સાથે જોઈ રહ્યો નથી.

Image Source

૨. સંબંધમાં વિશ્વાસનો અભાવ:

કોઇપણ સંબંધમાં સૌથી મહત્વની કડી વિશ્વાસ હોય છે. જીવનસાથીને એકબીજા પર વિશ્વાસ હોવો જોઈએ. પ્રેમમાં લોકો એકબીજા માટે સમર્થ હોય છે પરંતુ જો આ પ્રકૃતિ ખૂબ વધવા લાગે તો સમસ્યાનું કારણ બની શકે છે. તે સંબંધમાં શંકા અને ઈર્ષા ઉત્પન્ન કરેછે. ઘણીવાર લોકો એટલી બધી શંકા કરવા લાગે છે કે એક બીજાના સોશિયલ મીડિયા પર પણ નજર રાખવા લાગે છે. આ વસ્તુ કોઈ પણ સંબંધને નુકસાન પહોંચાડે છે અને એ સંબંધ નબળો થવા લાગે છે. તેથીતમારે આ વાત પર વિચાર કરવાની જરૂરત છે કે તમે આટલી શંકા કરનાર વ્યક્તિ સાથે તમારું પૂરું જીવન વિતાવવા ઈચ્છો છો કે નહીં.

Image Source

૩. વિચારમાં ખૂબ અલગ હોવું:

આ એક ખૂબ સાધારણ વાત છે કે બે લોકોના વિચાર થોડા તો અલગ જ હોય. ક્યારેક-ક્યારેક પ્રેમ લગ્નમાં ભાષા અને રીત રિવાજ પણ જુદા જુદા હોય છે. પરંતુ, જો તમારા બંનેના વિચારમાં ખૂબ લાંબો અંતર છે તો તે એ વાતનું સંકેત છે કે તમે બંને ખૂબ જુદા જુદા વ્યક્તિ છો. લગ્નનો નિર્ણય લેતા પહેલા , તમારે ફરીથી તેના વિશે વિચારવું જોઈએ, નહીં તો પછી સંબંધો ખરાબ થઈ શકે છે. સાથે રહેવા માટે બે લોકોએ એકબીજાના પરિવાર અને વ્યવસાયને સમજવું પડશે. તેથી, તમારા જીવનસાથી સાથે દરેક વસ્તુની ચર્ચા કરો અને પછી નિર્ણય લો.

Image Source

૪. મિત્રો અને પરિવાર સાથે મુશ્કેલી આવી રહી છે:

એક વ્યક્તિએ સમજવું જરૂરી છે કે વ્યક્તિને દત્તક લેવાથી સંબંધ નથી બનતો. તે વ્યક્તિની સાથે, તમારે તેના સંપૂર્ણ પરિવાર અને મિત્રોને પણ અપનાવવું પડશે. કેટલીકવાર પાર્ટનર્સને એકબીજાના પરિવાર અને મિત્રોથી મુશ્કેલી થવા લાગે છે. તેના કારણે બંનેના સંબંધો પર અસર થાય છે . જો તમારો જીવનસાથી ઇચ્છે છે કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સબંધ તોડી નાખો, તો તે સારી વાત નથી. આવું થાય ત્યારે આ વિશે વાત કરો અને કોઈ સમાધાન શોધો, નહીં તો સંબંધ પર ફરીથી વિચાર કરો. આ નાની નાની બાબતો તમારા ભાવિ જીવનને અસર કરી શકે છે.

Image Source

૫. વારંવાર ગુસ્સે થવું અને ટીકા કરવી:

જો તમારા જીવનસાથીને આ ટેવ હોય છે કે તે નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જાય છે અને તમને ઠેસ પહોંચાડે છે, તો પછી આ વસ્તુ બરાબર નથી. કેટલીકવાર લોકો જીવનસાથીના દેખાવની પણ હાંસી ઉડાવે છે. તે નિશાની છે કે તમારુ જીવનસાથી તમારું માન નથી રાખતું અને લગ્ન પછી તમારા બંને વચ્ચે તણાવ આવી શકે છે. જો તમારા જીવનસાથીને પણ આ ટેવ છે, તો પછી લગ્નના નિર્ણય પહેલાં વિચાર કરો.

આ ટીપ્સથી, તમે તમારા જીવનસાથીને યોગ્ય રીતે ઓળખી શકો છો, જેથી તમારું ભાવિ જીવન સારું અને સુખી રહે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને ફેસબુક પર શેર કરો તેમજ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમારા જીવનસાથીમાં પણ આ 5 વાતો છે? તો લગ્નનો નિર્ણય હોય શકે છે ખોટો!!”

Leave a Comment