એવા ઘણા બધા લોકો હોય છે જેમને સવારના સમયે ફ્રેશ થવામાં ખૂબ જ તકલીફનો અનુભવ કરે છે, શું તમે પણ સવારના સમયે ફ્રેશ થવામાં તકલીફનો અનુભવ કરો છો? લગભગ આવું આપણી ખોટી ખાણીપીણી તથા શારીરિક રૂપે અસક્રિય રહેવાના કારણે જ થાય છે. અને તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો તમે સવારમાં યોગ્ય રીતે ફ્રેશ થઈ શકતા નથી, તો તમારો સંપૂર્ણ દિવસ આળસ અને મન કોઈ પણ કામ કરવા માટે ઈચ્છા ધરાવતું નથી. તેથી જ સવારના સમયે ફ્રેશ થઈ જવું ખૂબ જ જરૂરી છે. અને તેના જ કારણે તમારો દિવસ પણ ખૂબ જ સારી રીતે વ્યતિત થાય છે.
1 કેમ જરૂરી છે ડીટોકસિફિકેશન
ખરાબ જીવનશૈલીની સાથે ખાણીપીણીની પણ ખરાબ આદત આપણા શરીરની બીમારીનું ઘર બનાવવાનું કામ કરે છે. આપણી ખાણીપીણી આપણા બીમાર બનવાનું કામ કરે છે, કારણ કે તળેલું, શેકેલું અને વધુ પડતી ખાંડ વાળું ભોજન ખાવાથી આપણા શરીરમાં ગંદકી વધી જાય છે, અને આ ગંદકી આપણા આંતરડામાં જમા થવા લાગે છે. તેની જ કારણે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. શરીરમાં જમા થયેલા ગંદકીને બહાર કાઢવા માટે આપણે કંઈક એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જે તૈયારીમાં જ બહાર નીકળી શકે. આવો જાણીએ કેવી રીતે આપણે આ ગંદકીને બહાર કાઢી શકીએ છીએ.
2 આંતરડામાં જમા થયેલ ગંદકીથી થતી પરેશાની
જ્યારે આપણા શરીરમાં ગંદકી જમા થવા લાગે છે ત્યારે આપણી માટે જરૂરી છે કે તેને બહાર કાઢીએ અને એવી રીત અપનાવીએ જેના કોઈ સાઈડ ઈફેક્ટ ન હોય. આવો જાણીએ શરીરમાં જમા થતી ગંદકી જેના કારણે આપણને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડે છે.1. મેદસ્વિતા 2. પેટની તકલીફ 3. હાઈ બીપી 4. કબજિયાત અને 5. શરીરમાં સોજો.
3 તજ અને મધનું ડ્રીંક
તજ અને મધ બંને આપણા શરીરમાં રહેલ ઝેરી કચરો બહાર કાઢવા માટે ખૂબ જ જાણીતા છે. જો તમારું પેટ સાફ થતું નથી તો તમારે આ બંને થી બનેલ ડ્રીંકનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરમાં જમા થયેલ ગંદકીને બહાર કાઢે છે, તજમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટિવાયરલ અને એન્ટીફંગલ ગુણ જોવા મળે છે જે આપણા શરીરના આંતરડામાં છુપાયેલ ગંદકીને બહાર કાઢે છે. તે સિવાય મધ એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને આપણે સવારે ખાલી પેટ તેનું સેવન કરીએ છીએ તો આપણું પેટ ખૂબ જ જલ્દી સાફ થઈ જાય છે.
4 ફુદીના અને કાકડીનું ડ્રીંક
સવારે પેટ સાફ ન થવાની તકલીફ કરનાર લોકોને ખાલી પેટ ફુદીનાને કાકડીથી બનાવેલ ડ્રિંકનું સેવન કરવું જોઈએ. તેનાથી તમે ખુલીને શૌચ કરવામાં મદદ કરશે. કાકડી પાણીનો ભંડાર છે તે આપણને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે અને તેની સાથે સાથે આપણને સ્વસ્થ રાખે છે, તથા આપણને હાઇડ્રેટ રાખવાની સાથે ફુદીનાના પાન એન્ટિબેક્ટેરિયલ તો થાય એન્ટિવાયરલ ગુણોથી સંપન્ન હોવાના કારણે તે પેટ સાફ કરવાનું કામ કરે છે.
5 દહીં અને ઈસબગુલ
સવારે જો તમે ખુલીને શૌચ ન કરી શકતા હો તો તે લોકોએ સવારે ઊઠતા જ ખાલી પેટ દહીંમાં ઇસબગુલ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ, આ રીતના માત્ર તમારું પેટ સાફ કરશે પરંતુ તમને ખુલીને શૌચ કરવામાં પણ મદદ કરશે. દહીં પ્રોબાયોટિક ગુણથી ભરપૂર હોવાના કારણે તે આપણા પેટને સાફ કરે છે. તથા ઇસબગુલમાં ઉપસ્થિત ગુણ તમારા આંતરડાને આરામ પહોંચાડે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team