કોરોના વાયરસની અસર સમય જતાં વધી રહી છે. રોજ કોરોના વાયરસના હજારો નવા કેસ બહાર આવે છે. કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય માં લગભગ બધા લોકો કેટલીક ભૂલો કરી રહ્યા છે. આ ભૂલો ને કારણે ઘણું નુકસાન થઈ શકે છે. આજે તમને જણાવીશું કે કોરોના સમયમાં કઈ ભૂલો ના કારણે તમને કોરોના વાયરસ થઈ શકે છે. કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે આ ભૂલો ક્યારેય ન કરશો.
માસ્કને યોગ્ય રીતે ન પહેરવાથી સંક્રમણ નો શિકાર થવાય છે
કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે માસ્ક પહેરવું ખૂબ જ જરુરી છે. ઘણા સંશોધનો એવું કહે છે કે માસ્ક પહેરવાથી કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થાય છે. ઘણા લોકો આ સમયે માસ્ક યોગ્ય રીતે નથી પહેરતા. માસ્કને યોગ્ય રીતે ન પહેરવાથી કોરોના વાયરસનું સંક્રમણ વધે છે. માસ્ક પહેરતી વખતે ધ્યાનમાં રાખો કે નાક અને મોં માસ્કથી સારી રીતે ઢંકાયેલા રહે.
સોશિયલ ડિસ્ટન્સીગ નું પાલન ન કરવાથી કોરોના નો શિકાર થઈ શકાય છે
ઘણા લોકો સોશિયલ ડિસ્ટન્સીગ નું પાલન કરતાં નથી સોશિયલ ડિસ્ટન્સીગ નું પાલન ન કરવાને કારણે સંક્રમણ જડપ થી ફેલાય છે. કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સોશિયલ ડિસ્ટન્સીગ નું પાલન કરો.
બાળકો અને વૃદ્ધો પ્રત્યે ની બેદરકારી
કોરોના વાયરસ હજી પણ નાબૂદ થયો નથી, પરંતુ ઘણા લોકો બેદરકાર થવા લાગ્યા છે. ખાસ કરીને લોકો બાળકો અને વૃદ્ધોને પાર્કમાં જવા દે છે પરંતુ આ સમયે બાળકો અને વૃદ્ધો એ પાર્કમાં જવું ખૂબ જ જોખમી બની શકે છે. જેઓ બહારથી ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમણે પણ તરત બાળકો અને વૃદ્ધો પાસે ન જવું ઘરમાં આવ્યા પછી પહેલા સ્નાન કરો અને તે પછી જ બાળકો અને વૃદ્ધ લોકોના સંપર્કમાં આવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team