વાતાવરણ માં બદલાવ આવતા જ ચહેરા પર પણ અસર જોવા મળે છે. અને આવા માં ચહેરા ની દેખરેખ રાખવી ખૂબ જ જરુરી બની જાય છે. નારિયેળ નું પાણી પીવાથી સ્કીન પર સારી અસર જોવા મળે છે. તે ખૂબ જ ફાયદા કારક હોય છે. આજે અમે તમને ખૂબ જ સારી એવી માહિતી આપીશું જેના થી તમારી બ્યુટિ ને લગતી પ્રોબ્લેમ્સ દૂર થાય.
સૌથી પહેલા તો આજ કાલ ના પ્રદૂષણ ને કારણે ત્વચા ને ખૂબ નુકશાન થાય છે. ધૂળ માટી વગેરે ચહેરા પર લાગવા થી ચહેરા પર ડાગ દેખાવા લાગે છે. સાથે જ ખીલ પણ થઈ જાય છે. આવા માં તમે નારિયેળ પાણી નું સેવન કરશો તો તમને ઘણો ફાયદો જોવા મળશે. કારણકે તેમા એંટિ ઓક્સિડેન્ટ, વિટામિન c, magnesium, કેલ્સિયમ,સોડિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. જે ત્વચા માટે ખૂબ લાભદાયી હોય છે.
ચાલો જાણીએ નારિયેળ પાણી કેવી રીતે ઉપયોગી છે.
નારિયેળ પાણી થી ચહેરા ને સાફ કરવા થી અલગ જ પ્રકાર ની ચમક આવે છે. નારિયેળ પાણી માં ભરપૂર minerals અને એંટિ ઓક્સિડેન્ટસ હોય છે. જે ત્વચા ની અંદર સુધી જઈને પોષણ આપે છે. વિટામિન c, magnesium, કેલ્સિયમ,સોડિયમ ની માત્રા ભરપૂર હોય છે. જેનાથી ચહેરા નું ટોનિગ જળવાઈ રહે છે.
જો તમારા ચહેરા પર વધુ ખીલ હોય તો નારિયેળ પાણી થી ચહેરો સાફ કરવો. Oily સ્કીન વાળા એ અવશ્ય નારિયેળ પાણી નો ઉપયોગ કરવો.
જો તમારા ચહેરા પર ડાગ વધુ હોય અને કરચલીઓ પણ દેખાય તો આવી સ્થિતિ માં નારિયેળ પાણી ખૂબ જ ફાયદા કારક બની રહે છે. અને ચહેરા પર નેચરલ ગ્લો પણ જળવાઈ રહે છે.
જો દરરોજ નારિયેળ પાણી થી ચહેરો ધોવાનું શક્ય ન હોય તો કોટન ને નારિયેળ પાણી ડૂબાડી ને ચહેરા પર લગાવું. આ ઉપરાંત હળદર, લાલ ચંદન અને નારિયેળ પાણી ને મિક્સ કરી ને ચહેરા પર લગાવી ને ધોઈ લેવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team