તમે જાણો છો માળામાં 108 મણકા જ કેમ? શું છે આ સંખ્યાનો રાઝ

Image Source

પ્રાચીનકાળથી જ જપ કરવા માટે ભારતીય પૂજા ઉપાસના પદ્ધતિ એક અભિન્ન અંગ રહ્યું છે જપ કરવા માટે માળાની જરૂર હોય છે જે રુદ્રાક્ષ, તુલસી, વૈજયંતી, સ્ફટિક,મોતી અથવા નંગથી બનેલી હોય છે. અને તેમાંથી રુદ્રાક્ષની માળા ને જપ કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં કીટાણુનાશક શક્તિ સિવાય વિદ્યુતય અને ચુંબકીય શક્તિ પણ જોવા મળે છે અંગેરા સ્મૃતિમાં માળા નું મહત્વ આ રીતે જણાવવામાં આવ્યું છે.

विना दमैश्चय कृत्यं सच्चदानंद विनोदकम।

असंख्यता तू यजप्तम ततसर्व निष्फल भवेत्।।

કુશ વગર અનુષ્ઠાન માળાના સંખ્યાહિન જપ નિષ્ફળ હોય છે માળામાં 108 દાણા જ કેમ હોય છે તે વિષયમાં યોગ ચુડામણિ ઉપનીષદમાં કહેવામાં આવ્યું છે કે,

विना दमैश्चयकृत्यं सच्चदानं विनोदकम्।

असंख्यता तु यजप्तं तत्सर्व निष्फल भवेत् ।।

આપણા શ્વાસની સંખ્યાના આધાર ઉપર 108 દાણા ની માળા સ્વીકૃત કરવામાં આવી છે 24 કલાકમાં એક વ્યક્તિ 21,600 વખત શ્વાસ લે છે એટલે કે 12 કલાક દિનચર્યામાં નીકળી જાય છે તો વધેલા 12 કલાક દેવ આરાધના માટે રહે છે એટલે કે 10,800 શ્વાસનો ઉપયોગ ઇષ્ટદેવનો સ્મરણ કરવામાં પસાર કરવો જોઈએ પરંતુ એટલો સમય આપવો કોઈ પણ વ્યક્તિ માટે સંભવ હોતું નથી તેથી આ સંખ્યામાંથી અંતિમ બે શૂન્ય દૂર કરીને 108 શ્વાસમાંથી પ્રભુ સ્મરણની માન્યતા પ્રદાન કરવામાં આવી છે.

બીજી માન્યતા અનુસાર ભારતીય ઋષિઓની કુલ 27 નક્ષત્રોની શોધ પર આધારિત છે, એટલે કે પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે એટલે તેના ગુણ ફળની સંખ્યા 108 આવે છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં શ્રી લગાવીને શ્રી 108 હિન્દુ ધર્મમાં ધર્મચાર્ય જગતગુરુઓના નામના આગળ લગાવવું ખૂબ જ સન્માન પ્રદાન કરવા માટેનું સૂચક માનવામાં આવે છે.

માળાના 108 મોતી થી એ માહિતી મળી જાય છે કે જપ કેટલી સંખ્યામાં થયો? બીજા માળાના ઉપરી ભાગમાં એક મોટો દાણો હોય છે જેને સુમેરુ કહેવામાં આવે છે તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આમ તો માળાની ગણતરી સુમેરુથી શરૂ કરીને માળા સમાપ્તિ પર તેને ફરીથી ફેરવીને શરૂ કરીને 108 નું ચક્ર પ્રારંભ કરવાનું વિધાન બનાવવામાં આવ્યું છે તેથી જ સુમેરુને ઓળંગી શકાતું નથી એક વખત માળા જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરતા સુમેરુને માથાથી સ્પર્શ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં સુમેરુની સ્થિતિ સૌથી સર્વોચ્ચ હોય છે.

માળામાં દાણાની સંખ્યા ના મહત્વ ઉપર શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે,

पद्शतानि दिवारात्रि सहस्त्राण्येकं विंशति।

एतत् संख्यान्तिंत मंत्र जीवो जपति सर्वदा।।

108 દાણાની માળા સર્વશ્રેષ્ઠ 100-100 ની શ્રેષ્ઠ તથા 50 દાણા ની મધ્યમ હોય છે.

શિવપુરાણમાં જ તેના પૂર્વ શ્લોક 28માં માળા જપ કરવાના સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે અંગૂઠાથી જપ કરો તો મોક્ષ તર્જનીતિ શત્રુનાથ મધ્ય આંગળીથી ધન પ્રાપ્તિ અને અનામિકા આંગળીથી શાંતિ મળે છે.

ત્રીજી માન્યતા અનુસાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમસ્ત બ્રહ્માંડને 12 ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે અને આ 12 ભાગોને રાશિની સંખ્યા આપવામાં આવી છે આપણા શાસ્ત્રમાં પ્રમુખ રૂપે નવ ગ્રહ હોય છે એ જ પ્રકારે 12 રાશિ અને નવ ગ્રહનું ગુણનફળ 108 આવે છે અને આ સંખ્યા સંપૂર્ણ વિશ્વનું પ્રતિનિધિત્વ કરનાર સિદ્ધ થાય છે.

ચોથી માન્યતા અનુસાર સૂર્ય ઉપર આધારિત છે એક વર્ષમાં સૂર્ય 21,600 કળા બદલે છે એટલે કે સૂર્ય દર છ મહિને ઉતરાયણ અને દક્ષિણ આયન માં રહે છે તો આ પ્રકારે છ મહિનામાં સૂર્યની કુલ કલા 1,8,000 જોવા મળે છે આમ અંતિમ ત્રણ શૂન્ય દૂર કરવાથી 108 અંકની સંખ્યા મળે છે તેથી જ માળા જપવા માટે 108 દાણા સૂર્યની એક એક કળાઓનું પ્રતીક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment